મુખ્પ્રુષ્ઠ પ્રતિપૂષ્ટિ સંપર્ક સાઇટમેપ
English Version
વિભાગ
પરિચય
મીશન
લક્ષ્ય / હેતુઓ
વહીવટી માળખું
પ્રવૃત્તિઓ
અંદાજપત્ર ૨૦૦૭-૦૮
સફળતાની માહિતી
મુખ્પ્રુષ્ઠ » વિભાગ » ધ્યેય અને હેતુઓ
ધ્યેય અને હેતુઓ
ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦માં ગ્રામ્ય વસ્તીની જેમાં સાધનોની ખામીથી ગરીબ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. તેની જીવનની ગુણવત્તામાં તેમની રોજગારીની તકો વધારી અને આવક વધારીને સુધારો કરવાની કલ્પના છે. ભૂતકાળમાં અન્નના ઉત્પાદનમાં વધારો કરવા તરફી કે ઉત્પાદનલક્ષી પ્રયત્નો હતા તેનાથી વિપરીત ઉદારીકરણ અને વૈશ્વીકરણના સંદર્ભમાં કૃષિ પ્રક્રિયા અને કૃષિ વેપાર મારફતે મૂલ્ય વૃદ્ધિ અને માંગ આધારિત કૃષિ તરફી નવો ઝોક રહેશે
૨.

તાજેતરના દર્શકોમાં ગુજરાતના અર્થતંત્રમાં માળખાકીય રૂપાંતર થયેલ છે. રાજય ધરેલુ ઉત્પાદનમાં પ્રાથમિક ક્ષેત્રોનો હિસ્સો ૧૯૭૧માં ૪૮( હતો તે ધટીને ૧૯૯૧માં ૨૭( થયો. સમગ્ર ભારતમાં તે ૪૬( થી ધટીને ૩૩( થયો. આ જ સમયગાળા દરમિયાન પ્રાથમિક ક્ષેત્રોમાં કાર્યબોજની ટકાવારી ગુજરાતાં ૬૫( થી ધટીને ૫૬( થઈ અને સમગ્ર ભારતના સ્તરે ૭૩( થી ધટીને ૬૭( થઈ. આમ સમગ્રપણે ગુજરાતમાં ભારતની સમખામણીએ રૂપાંતર પ્રકિયા વધુ ઝડપી હતી. દેશની સરખામણીએ ગુજરાતમાં કૃષિક્ષેત્રેનું એકંદરે કદ વધ્યું છે. તેમાં શકા નથી પરંતુ મોટાભાગનું માનવબળ કૃષિ પર આધાર રાખે છએ જો કે રાજય ધરેલુ ઉત્પાદનમાં તેનો હિસ્સો પ્રમાણમાં ધટયો છે.

૩.

ગુજરાતે આર્થિક વુધ્ધિ ખાસ કરીને ઉત્પાદન અને સેવાના ક્ષેત્રોમાં ઝડપી વુધ્ધિ કરેલ છે છતાં કૃષિક્ષેત્રોની ભૂમિકા અગત્યની રહે છે કારણ કે તે મોટાભાગની વસતિ માટે રોજગારીનું મુખ્ય સાધન છે. વધુમાં ગુજરાતની ૬૩( વસતિ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને આજીવિકા માટે કૃષિ અને કૃષિ સાથે જોડાયેલ ગ્રામ્ય બિન-ખેતી ક્ષેત્ર પર આધાર રાખે છે. આગામી વર્ષોમાં ગુજરાતના અર્થતંત્રમાં કૃષિ મહત્વનો ભાગ ભજવવાનું ચાલુ રાખશે અને ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં મર્યાદિત રોજગાર શકયતા છે છતાં મોટાભાગની વસતિને રોજગારી અને આવક માટે કૃષિક્ષેત્ર પર આધાર રાખવો પડશે. ગ્રામ્ય વિસ્તારમાં વેપાર, વાણિજય અને સેવાઓના વિકાસ પણ કૃષિવુધ્ધિ થી ઉદભવતા માંગના પાયા પર આધાર રાખશે.

ગુજરાતમાં ગરીબીરેખા નીચે જીવતી નોંધપાત્ર વસતિ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી ધટાડવા માટે કૃષિવુધ્ધિ જરૂરી છે. ધણા અભ્યાસોથી જાણવા મળે છે કે ગરીબીમાં ધટાડા સાથે કૃષિવૃધ્ધિ હકારાત્મા રીતે સંકળાયેલ છે. ગરીબીમાં નોંધપાત્ર ધટાડો કરવા કૃષિ અને કૃષિ સંબંધિત પ્રવૃતિઓને અગિ્રમતા આપવાનં જરૂરી છે.

આગામી વર્ષોમાં આર્થિક વૃધ્ધિ પર માહિતી પ્રોધોગિકીમાં અને બાયોકેકનોલોજી માં નવી કેડી કંડારતા વિકાસનો ખુબ પ્રભાવ હશે. આ ઉદભવતા ફેરફારોને પરિણામે હાલના સંસાધનોમાંથી મબલખ ફાયદો લેવાની સ્થિતિમાં છે જેની મોટાભાગની વસતી જેમાં સંપતિ કમાવવાની અને વુધ્ધિની મબલખ શકયાતા છે તેવી કતોથી વંચિત રહેશે . વિકાસની પ્રક્કિયા ગ્રામ્ય ગુજરાતને એક બાજુ છોડી દેશે જેવુ ગ્રીન રિવોલ્યુશન (હરિયાળી ક્રાંતિ) માં થયુ હતું જે ફકત કેટલાંક પ્રદેશોમાં અને કેટલાક પાકોમાં જ થઈ હતી.

કૃષિ અંગેના વિશ્વ વ્યપાર સંગઢનના કરારના આધારે આયોતો પરના જથ્થાત્મક નિયંત્રણોદુર થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખેડૂતોને સ્પર્ધા માટે સક્ષમ બનાવવા અને ભાવમાં તીવ્ર ફેરફારને પહોંચી વળવા વ્યુહરચના ધડવાનું જરૂરી છે. આનાથી કૃષિમાં વિવિધતા, ગુણવત્તામાં સુધારણા અને મૂલ્યવૃધ્ધિ થશે જેથી ઉપલબ્ધ તકોનો લાભ લઈ શકાય.

ઉપરોકત સંદર્ભમાં નવી શતાબ્દીમાં કૃષિક્ષેત્રોના પડકારોને ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦ સંબોધે છે. ધણા વર્ષોથી પંચવર્ષીય યોજનાઓ અને વાર્ષિક યોજનાઓનો અમલ થઈ રહ્યો છે નીતિ, વ્યૂહરચના અને અમલના મુદ્દાઓ સમયાંતરે વિચારણાં લેવામાં આવેલ છે. છતાં ભવિષ્યના સ્પષ્ટ દ્દશ્ય અથવા આવતીકાલની કૃષિનો સ્પષ્ટ વિચાર કરવાની જરૂર છે. ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦ નવા અભિગમનો લક્ષ્ય રાખે છે અને લાંબાગાળાના દ્રશ્યની કલ્પના કરે છે (વિચાર) ભવિષ્યને જોવાનો, નવા ઉદ્દભવતા વલણોની અપેક્ષા રાખવાનો, સંભવિત ક્ષેત્રો નકકી કરવાનો અને એક દસક માટે પૂર્વભૂમિકા તૈયાર કરવાનો છે.

   

આર્થિક વિકાસમાં કૃષિની ભૂમિકા હંમેશા સમજવામાં આવી છે. આમ છતાં, આ તબક્કે ૧૯૭૦ અને ૧૯૮૦ ના દશકાઓમાં ગુજરાતમાં જે રીતે ઔધોગિક ક્ષેત્રો પર ધ્યાન આપ્યુ હતું તેજ રીતે કૃષ પર ધ્યાન આપવાનું જરૂરી છે. બીજા શબ્દમાં, સમગ્ર વિકાસલક્ષી પ્રયત્નો કૃષિ અને કૃષિ સંબંધી પ્રવૃતિઓને કેન્દ્રમાં રાખી કરવા જોઈએ.

ગુજરાતનું કૃષિમાં સ્પર્ધાત્મક થવાનું સ્વપ્ન, ખેડૂતો માટે વધુ સમૃધ્ધિ, ઉત્પાદનમાં ટકાઉક્ષમ વૃધ્ધિ અને કૃષિ પેદાશોમાં વધુ ઉંચા મૂલ્યો વૃધ્ધિની સંભાવના પર આધારિત છે. નવા વૈશ્વિક કૃષિ વાતાવરણમાં માંગલક્ષી કૃષિ અને કૃષિ ઔધોગિક વૃધ્ધિને ઝડપી બનાવવા પર વિઝનમાં કલ્પાના થયેલ છએ. ગુજરાતની કૃષિનો ધ્યેય પાકોના વિશ્વ-સતરના ઉત્પાદક અને પૂરવઠા ક્ષર બનવાનો છે કારણ કે તેમાં તેની સ્પર્ધાત્મક અનુકૂળતા છે.

૧૦

ખાસ કરીને કૃષિક્ષેત્રોમાં વૃધ્ધિથી ગરીબી ધટે છે. પરંતુ વિકાસ હંમેશા ગરીબ સુધી પહોંચતો નથી. વ્યવસ્થિત બજારો સંસાધનોને સારી રીતે વહેંચવામાં મદદ કરે છે. પરંતુ કયારેક બજારો આમાં નિષ્ફળ જાય છે. પરિણામે, ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં સાધનવિહણા ખેડૂતો અને ખેતમજૂરો માટે ખાસ જોગવાઈઓ બનાવવાની ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦ કલ્પના છે. બાગાયત અને પશુપાલન જેવી કેટલીક પ્રવૃતિઓથી વૃધ્ધિ અને સમાનતા એમ બન્ને હેતુઓ સરે છે. આવી પ્રવૃતિઓ નાના ખેડૂતો માટે યોગ્ય છે અને તે આવકની ઉંચી તકો પણ ઉભી કરે છે.

૧૧

આ દસ્તાવેજમાં અધતન કૃષિ આંતરમાળખા, ખરીદવેચાણ સહાય અને સંસોધન પ્રયત્નોનો વિચાર થયો છે. આમ છતાં, કૃષિ એકનો જ વિકાસ થઈ શકે નહિં. કૃષિનો વિકાસ, માર્ગો, બંદરો, વીજળી તેમજ શિક્ષણો જેવા સામાજિક આંતરમાળખા પર મોટેભાગે આધાર રાખે છે. જેવા આર્થિક આંતરમાળખા સ્વચ્છતા અને પાણી પૂરવઠો ખેડૂતોના શિક્ષણ અને આરોગ્યમાં સુધારણાથી ઉત્પાદન, ઉત્પાદકતા અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થાય છે. એગ્રો આંતરમાળખાને લગતાં વિઝન દસ્તાવેજો તૈયાર કર્યા છે જે હાલના પ્રયત્નોને સાથ આપશે કે પૂરક બનશે.

૧૨

ટૂંકમાં, ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦ માં ગ્રામ્ય વસતિની રોજગારનીની તકો વ્યાપક કરીને અને તેમની આવકમાં વધારો કરીને તેમની જીવનની ગુણવત્તા સુધારનાર ટકાઉક્ષમ વિકાસની કલ્પના કરવામાં આવેલ ચે તેમાં કૃષિપેદાશોમાં ઉત્પાદકતામાં ટકાઉક્ષમ વધારો અને વધુ ઉંચો ગણવત્તા મારફતે નવા વૈશ્વિકૃત કૃષિ વાતાવરણમાં માંગ આધારિત કૃષિ અ્ને કૃષિ ઔધોગિક વૃધ્ધિની ગતિ વધારવાની કલ્પના છે. તેનાથી ઉત્તરોત્તર વધારો સધન બનશે.

   
 
  next
સંકલ્પના : સિલ્વર ટચ ટેકનોલોજીસ લિ.
પસંદગીની યાદીમાં જોડો | ડિસ્ક્લેમર | મદદ