મુખ્પ્રુષ્ઠ પ્રતિપૂષ્ટિ સંપર્ક સાઇટમેપ
English Version
વિભાગ
પરિચય
મીશન
લક્ષ્ય / હેતુઓ
વહીવટી માળખું
પ્રવૃત્તિઓ
અંદાજપત્ર ૨૦૦૭-૦૮
સફળતાની માહિતી
મુખ્પ્રુષ્ઠ » છેલ્લા સમાચારો
છેલ્લા સમાચારો
નાના ગરીબ માછીમારોને આગામી કૃષિ મહોત્સવમાં ૬૦૦૦ જેટલી બોટમાં એલ.પી.જી. કીટ તથા ગરીબ માછીમારોને રૂ. ૩૦૦૦ની કિંમતના ઇન્સ્યુલેટેડ બોક્સનું વિતરણ કરાશે
વિધાનસભામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત
ગાંધીનગર, બુધવાર

ચાલુ વર્ષે યોજાનાર કૃષિ મહોત્સવ-૦૭ અંતર્ગત મત્સ્યોઘોગ ક્ષેત્રે સંકળાયેલા માછીમારોને રાહત થાય તે માટે કેરોસીન કે પેટ્રોલથી ચાલતી ૬૦૦૦ જેટલી નાની એફ.આર.પી. બોટમાં ચાલુ વર્ષથી કૃષિ મહોત્સવ દરમિયાન પ્રતિ બોટ આશરે રૂ. ૬૦૦૦ની કિંમતની એલ.પી.જી. કીટનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવશે. ૬૦૦૦ જેટલા નાના માછીમારોને તેનો લાભ મળશે.

મત્સ્યોઘોગ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મત્સ્યોઘોગ વિભાગ પરની અંદાજપત્રીય માગણીઓ પરની ચર્ચાનો જવાબ આફતાં વધુમાં જણાવ્યું હતું કે, મત્સ્યોઘોગ વિભાગ દ્વારા સૌ પ્રથમવાર અમલી બનનાર આ યોજનાને પરિણામે નાના માછીમારોને તેમના રોજીંદા ખર્ચમાં ૫૮ ટકા જેટલી બચત થશે. તેમજ પર્યાવરણીય પ્રદુષણમાં પણ ધટાડો થશે. આર્થિક રાહતના કારણેનાના માછીમારોનું જીવન ધોરણ પણ સુધરશે.

ઉપરોક્ત જાહેરાત ઉપરાંત અન્ય એક અગત્યની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સાવ નાના પગડીયા માછીમારો અને માછીમાર બહેનોની ચિંતા કરીને તેમને ઇસ્યુલેટેડ બોકસની વિના મૂલ્યે વહેંચણી કરાશે. રાજ્ય સરકારે તમામ સ્તરના માછીમારોની ચિંતા કરી છે. નાના પગડીયા માછીમારો કે જે મહદઅંશે ગરીબી રેખા નીચે જીવે છે તે અથાગ મહેનત કરીને માછલી પકડે છે પરંતુ તેને લાંબા સમય સુધી આરોગ્યપ્રદ રહે ત્યાં સુધી આપવાની અપૂરતી સુવિધાને કારણે તેની મહેનત પાણીમાં જાય છે અને તે માછલીઓ બગડી જતાં, વેચાણ લાયક ન રહેતાં ફેંકી દેવી પડે છે આમ ન બને તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે એક પગલું ભરીને આવા નાના પાંચ હજાર જેટલા માછીમારો માટે અને વેચાણની જવાબદારી સંભાળતી બહેનો માટે રૂ. ૩૦૦૦ની કિંમતનું ઇન્સ્યુલેટેડ બોક્સ કૃષિ મહોત્સવ દરમિયાન વિના મૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે તેના કારણે લાંબા સમય સુધી માછલી આરોગ્યપ્રદ રીતે સાચવી શકાશે, તેનુ વેચાણ કરી શકાશે અને ગરીબ લોકો ગરીબી રેખાથી બહાર આવશે.

મત્સ્ય બંદરોના વિકાસ અને જળાશયોની જાળવણી અંતર્ગત કેટલીક વિગતો આપતાં ચુડાસમાએ ગૃહમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ કિનારા ઉપર આવેલા મત્સ્ય બંદરો ઉપરનો ટ્રાફિક ધટાડવા હાલના મત્સ્ય બંદરોની સુવિધાઓમાં વધારો કરવા તેમજ અન્ય મત્સ્ય બંદરો વિકસાવવાનો સુનિતિ કાર્યક્રમ હાથ ધરાયો છે. પોરબંદર, માંગરોળ અને વેરાવળના મત્સ્ય બંદરનો વિકાસ કરાશે, જાફરાબાદ નવા બંદર, ભદેલી-જગલાલા, સૂત્રાપાડા અને ઉમરગામને વિકસાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.

કૃષિ મહોત્સવના બે વર્ષના સફળ પ્રયોગો અને ખેડૂતોની આવક વૃદ્ધિના કારણે
૨૦ એપ્રિલથી સમગ્ર રાજ્યમાં
કૃષિ મહોત્સવ-૦૭નું કરાયેલું આયોજન

ગાંધીનગર, બુધવાર

દર વર્ષે અખાત્રીજથી ખેતી કાર્યનો પ્રારંભ કરતાં ખેડૂત માટે અખાત્રીજનું પર્વ અને ત્યારથી શરૂ થતી ખેતીની પ્રક્રિયામાં ખેડૂતની સાથે રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર પણ સહભાગી બને અને ખેતી એ પારંપરિક ઉત્સવનું સ્વરૂપ ધારણ કરે તેવા હેતુથી છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન થાય છે. આ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષની જેમ ચાલુ વર્ષે ૨૦ એપ્રિલ-૦૭થી એક મહિનામાં સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવ-૦૭નું આયોજન કરવામાં આવ્યું હોવાનું કૃષિ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભામાં જણાવ્યું હતું.

કૃષિ વિભાગની અંદાજપત્રીય ચર્ચાના પ્રત્યુત્તરમાં ચુડાસમાએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ-૦૫ને કારણે રાજ્યની કૃષિ આવકની કુલ આવકમાંથી રૂ. ૩૦૦૦ કરોડનો વધારો કૃષિ મહોત્સવને કારણે થયેલો, જ્યારે એ જ રીતે ૨૦૦૬ના કૃષિ મહોત્સવના કારણે કૃષિ આવકમાં રૂ. ૩૮૦૦ કરોડનો વધારો થવા પામ્યો છે.
 
સંકલ્પના : સિલ્વર ટચ ટેકનોલોજીસ લિ.
પસંદગીની યાદીમાં જોડો | ડિસ્ક્લેમર | મદદ